WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
ભારત એ કૃષિ આધારિત દેશ છે, જ્યાં કરોડો ખેડૂત પરિવાર ખેતી પર આધાર રાખે છે. પરંતુ લાંબા સમય સુધી ખેતી કરતા ખેડૂતો આર્થિક અસુરક્ષાનું સામનો કરતા આવ્યા છે. પાકની અસફળતા, બજારમાં ઊંચા ખર્ચ સામે ઓછું વળતર, કુદરતી આપત્તિઓ અને આવકમાં અનિશ્ચિતતા જેવા પ્રશ્નો તેમને સતત પીડાવતા રહ્યા છે. આવા સંજોગોમાં ખેડૂતના આર્થિક સશક્તિકરણ માટે ભારત સરકારે 2019માં એક ઐતિહાસિક પહેલ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) શરૂ કરી હતી.
આ યોજના અંતર્ગત નાના અને સીમાન્ત ખેડૂતોને રોજિંદી ખેતીના ખર્ચ માટે નાણા ઉપલબ્ધ થાય તે માટે દર વર્ષે રૂ. 6000ની સહાય ચુકવવામાં આવે છે. આ સહાય દર ચાર મહિના પર રૂ. 2000ના ત્રણ હપ્તામાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે, જેને DBT (Direct Benefit Transfer) કહેવામાં આવે છે.દેશભર ના ખેડૂતો માટે સરકાર દ્વારા 20 માં હપ્તા ની લાભાર્થી યાદી પહેલાથી જ બહાર પાડવામાં આવેલ છે અને જે ખેડૂતો નું યાદીમા નામ છે તેઓ ના બેંક ખાતામાં 20 માં હપ્તા ના 2000 રૂપિયા જૂન 2025 મા આવે એવુ અનુમાન છે.
🌾PM Kishan Shamman Nidhi Yojna એટલે શું?
ખેડૂતોને ખેત ખર્ચ ઓછો કરી રાહત મળી રહે માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના. આ યોજના નો લાભ મેળવવા દરેક ખેડૂતોએ KYC કરવું ફરજીયાત છે. જે ખેડૂતો પાસે પ્રામાણિક જમીન ના દસ્તાવેજો હશે તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
🔍PM Kishan Yojna 20th Installment Date.
સૂત્રો પ્રમાણે સરકાર દ્વારા હજી ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ જુના બીજા કે ત્રીજા સપ્તાહમાં 20 મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. ખેડૂતોને મળતી સહાયની રકમ જે ₹2000 હતી તે વધારીને ₹4,000 પણ કરવાની વાતો સાંભળવા મળી રહી છે અને આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા જમા કરવામાં આવશે.
🧑🌾ખેડૂતો માટે ખાસ નોંધ.
જો હજી સુધી તમે પીએમ કિસાન યોજના નો રૂપિયા 2000 નો લાભ લીધો નથી તો બિલકુલ ચિંતા કરવી નહીં. સૌપ્રથમ તમારે પહેલા તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે કે નહીં તેની ચકાસણી કરવી અનિવાર્ય છે જો કોઈ પણ દસ્તાવેજમાં કોઈક ભૂલચૂક થઈ હોય કોઈ ખામી હોય તો તમારી 2000 રૂપિયાની રકમ અટકી શકે છે માટે પહેલા તમે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે કે નહીં બધા દસ્તાવેજો બરાબર છે કે નહીં તેની ચકાસણી કરો અને તમને લાગે કે બધું બરાબર છે તો તમે તાત્કાલિક પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 155261 અથવા 011- 243000606 પર ફોન કરીને મદદ મેળવી શકો છો 20 માં હપ્તો જાહેર થતાં જ તમે ઓનલાઇન પણ ચેક કરી શકો છો. આશા રાખીએ છે કે આ પોસ્ટ પરથી તમને કંઈક જાણવા મળ્યું હશે.
WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
PM-Kisan સમ્માન નિધિ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions).
1: PM-Kisan સમ્માન નિધિ યોજના શું છે?
આ યોજના ભારત સરકાર દ્વારા નાનકડા અને સિમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે ₹6,000 ત્રણ હપ્તામાં મળે છે.
2: આ યોજના અંતર્ગત કોણ લાભાર્થી બની શકે છે?
પાત્ર ખેડૂતો જેમની પાસે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન હોય અને જેઓ આવકવેરા ચૂકવતા નથી, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
3: યોજના માટે કેવી રીતે નોંધણી કરાવવી?
ખેડૂતોએ નજીકની CSC સેન્ટર, તલાટી કચેરી કે E-Mitra કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકે છે અથવા PM-Kisan વેબસાઈટ પરથી પણ નોંધણી કરાવી શકે છે.
4: યોજનાનો લાભ મળવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?
નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:
આધાર કાર્ડ
જમીનનો 7/12 ઉતારો અથવા જમીન દસ્તાવેજ
બેંક ખાતાની વિગતો (ખાતાનું પાસબુક)
મોબાઈલ નંબર
5: યોજના અંતર્ગત કેટલા હપ્તા મળે છે?
દર વર્ષે કુલ ₹6,000 આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં ₹2,000 રૂપિયાના રૂપમાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
6: મેં અરજી કરી છે પણ હજી સુધી પૈસા નથી મળ્યા, તો શું કરું?
તમે PM-Kisan પોર્ટલ પર જઈને “Beneficiary Status” વિભાગમાં તમારું આધાર નંબર અથવા મોબાઈલ નંબર નાખીને સ્થિતિ જોઈ શકો છો. ભૂલ હોય તો નજીકના CSC સેન્ટર અથવા કૃષિ વિભાગનો સંપર્ક કરો.
7: યોજના માટે અરજી વખતે ભૂલથી ખોટી માહિતી આપી છે, તો સુધારવી કેવી રીતે?
તમે PM-Kisan પોર્ટલ પર જઈને “Updation of Self Registered Farmer” વિભાગમાં જઇને સુધારો કરી શકો છો અથવા નજીકના CSC સેન્ટર પર સંપર્ક કરો.
8: એક જ પરિવારના બે સભ્યોએ અરજી કરી હોય તો શું થાય?
જો એક જ પરિવારના એકથી વધુ સભ્યોએ લાભ લીધો હોય અને તે પકડાઈ જાય, તો સરકાર તે રકમ પરત લેશે અને દંડ પણ લગાવી શકે છે.
9: ભૂલથી બેંક ખાતું બંધ થઈ ગયું છે, તો પૈસા શું થશે?
જો તમારું બેંક ખાતું બંધ હોય તો યોજનાના પૈસા જમા નહીં થાય. તમે નવી બેંક વિગતો અપડેટ કરીને ફરીથી હપ્તો મેળવી શકો છો.
10: શું આ યોજના ચાલુ રહેશે કે બંધ થઈ જશે?
હાલમાં સરકાર દ્વારા કોઈપણ યોજના બંધ કરવાની જાહેરાત કરાઈ નથી. જ્યારે સુધી સરકારની નીતિ છે, ત્યાં સુધી યોજના ચાલુ રહેશે.